- પૃથ્વી પર દોરવામા આવેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ કહેવાય છે.
- પૃથ્વી સપાટી પરના કોઈ પણ સ્થળેથી સીઘી રેખા દ્વારા પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે તો આ સીઘી રેખા અને વિષુવવૃત ની કાલ્પનિક સપાટી દ્વારા પૃથ્વીના કેન્દ્ર આગળ બનતો ખુણો એ સ્થળનુ અંક્ષાશ કહેવાય છે.
- વિષુવવૃતથી કોઈ પણ જગ્યાનુ કોણીય માપ એટલે અક્ષાંશ.
- 0 અક્ષાંશ તે પૃથ્વીના બરોબર મઘ્યમાંથી દોરવામા આવેલ અક્ષાંશ છે જેને વિષુવવૃત કહેવાય છે તથા તેને ભુમઘ્ય રેખા કહેવાય છે.
- વિષુવવૃત પૃથ્વીના બે સરખા ભાગ કરે છે.
- વિષુવવૃત એ સૌથી મોટોમાં મોટો અક્ષાંશ છે.
- વિષુવવૃતથી ઉપરના ભાગને ઉત્તર ગોળાર્ધ (ખંડ ગોળાર્ધ) અને નીચેના ભાગને દક્ષિણ ગોળાર્ધ (જળ ગોળાર્ધ) કહેવાય છે.
- પૃથ્વીના ગોળ આકૃતિના કારણે વિષુવવૃતથી ઘ્રુવો તરફ જતા અક્ષાંશ લંબાઈ ઘટતી જાય છે.
- પૃથ્વીના પોતાની ઘરી પર પરીભ્રમણથી દિવસ-રાત બદલાય છે.
- પૃથ્વીના સૂર્યની આસપાસ પરીક્રમણથી દિવસ - રાત લંબાઈ માં ફેરફાર અને ઋતુમાં ફેરફાર થાય છે.
- ઉત્તર ગોળાર્ધમાં 23.5° ઉત્તર અક્ષાંશ એ કકઁવૃત અને 66.5° ઉત્તર અક્ષાંશ એ આકઁટીક સકઁલ કહેવાય છે.
- દક્ષિણ ગોળાર્ધમાં 23.5° દક્ષિણ અક્ષાંશ એ મકરવૃત અને 66.5° દક્ષિણ અક્ષાંશ એ એન્ટાકઁટીક સકઁલ કહેવાય છે.
- ઉત્તર ઘ્રુવ અને દક્ષિણ ઘ્રુવ આવેલા છે.
* * *
ત્રણ કટીબંઘ આવેલા છે.
- ઉષ્ણ કટીબંઘ
- સમશિતોષ્ણ કટીબંઘ
- શીત કટીબંઘ / શીતોષ્ણ કટીબંઘ
* * *
- ઉષ્ણ કટીબંઘમાં સૂર્યના સીઘા કિરણો પડે છે. સમશીતોષ્ણ કટીબંઘમાં સૂર્યના ત્રાંસા કિરણો પડે છે.
- કુલ અક્ષાંશની સંખ્યા 180° હોય છે અને 0° ને ગણતા કુલ 181° અક્ષાંશ થાય છે. 90 ઉત્તર અક્ષાંશ + 90 દક્ષિણ અક્ષાંશ + 0° વિષુવવૃત = 181 અક્ષાંશ
- કોઈ પણ બે અક્ષાંશ વચ્ચેનું અંતર 111Km હોય છે. Ex 0°થી 1° અક્ષાંશ , 1° થી 2° અક્ષાંશ.....
- ભારત દેશ ઉષ્ણ અને સમશિતોષ્ણ કટીબંઘમાં આવેલો છે.
ભારતના આઠ રાજ્યોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે.
મધ્ય પ્રદેશ
ઝારખંડ
મિઝોરમ
રાજસ્થાન
પશ્ચિમ બંગાળ
ત્રિપુરા
ગુજરાત
છતીસગઢ
* * *
ગુજરાતના છ જિલ્લામાંથી કર્કવૃત રેખા પસાર થાય છે.
અરવલ્લી
મહેસાણા
સાબરકાંઠા
પાટણ
ગાંધીનગર
કચ્છ
* * *
વિશ્વના 16 દેશોમાંથી કર્કવૃત રેખા પસાર થાય છે.