એઝટેક જાતિના લોકો એને ટ્લીક્સોચીટીલ, “કાળું ફૂલ” કહે છે. આ નામ ફળની પ્રક્રિયા કર્યા પછી, બદલાતા રંગના કારણે આપવામાં આવ્યું છે. તેઓ તેમના કોકોના ડ્રિંક્સ કસોકોલાટીલ કે ચૉકલેટમાં વેનીલાના સ્વાદ માટે વાપરતા હતા. મૅક્સિકોના સમ્રાટ, મોન્ટીઝુમાએ ૧૫૨૦માં સ્પેનિશ વિજેતા એરનાન કોટૅસને એ આપ્યું હોવાનું કહેવાય છે. ત્યાર બાદ, કોટૅસ કોકો અને વેનીલાના દાણા યુરોપમાં લઈ ગયા. વેનીલાના સ્વાદવાળી ચોકલેટ યુરોપના રાજ-કુટુંબને ખૂબ ગમી. પરંતુ, ૧૬૦૨માં દવા બનાવનાર હ્યુ મોરગને ક્વીન એલીઝાબેથ પ્રથમને બીજી વસ્તુઓમાં પણ વેનીલાને સ્વાદ-સુગંધ માટે વાપરવાનું સૂચન કર્યું. પછી, ૧૭૦૦ના દાયકાઓમાં દારૂ, તમાકુ અને અત્તરમાં એ વપરાવા લાગ્યું.
જો કે એઝટેક સામ્રાજ્ય પહેલાં, મૅક્સિકો, ટોટોનાક ઇન્ડિયન્સના વારાક્રૂઝમાં વેનીલાના દાણાની ખેતી, કાપણી અને સાચવણી થતી હતી. છેક ૧૮૦૦માં વેનીલાના છોડને યુરોપમાં ખેતી માટે લઈ જવામાં આવ્યો અને ત્યાંથી હિંદ મહાસાગરના ટાપુ પર લઈ જવામાં આવ્યો. પરંતુ, બાગકામના વૈજ્ઞાનિકો, આ વેલાઓમાં ફળ ઉગાડવામાં નિષ્ફળ ગયા, કારણ કે તેઓ પાસે કુદરતી રીતે એનું ફલિત કરનાર મિલીપોના મધમાખી ન હતી. તેથી, ૧૬-૧૯મી સદી સુધી ફક્ત મૅક્સિકોમાં જ વેનીલાનો વેપાર થતો હતો. ફ્રેન્ચના રીયુનિયન ટાપુ પરના અગાઉના ગુલામ, એડમન આલ્બીયસે ૧૮૪૧માં ફૂલોને હાથથી ફલિત કરવાની રીત અપનાવી જેથી દાણા ઉત્પન્ન થઈ શકે. એના લીધે મૅક્સિકોની બહાર પણ વેનીલાનો વેપાર થવાનું શરૂ થયું.
વેનીલાની ખેતી ખૂબ જ મુશ્કેલ કામ છે. તેનાં પાકમાંથી રસ કાઢવામાં આવતો હોય છે. માત્ર આ કારણે જ કેસર બાદ વેનીલા દુનિયામાં સૌથી મોંઘો પાક છે.
વેનીલાના દાણા ઑરકિડમાંથી આવે છે. ઑરકિડની લગભગ ૨૦,૦૦૦ જાતિ છે. એમાંથી ફક્ત વેનીલા ઑરકિડ એક એવું છે, જેમાંથી ખાવાની કંઈક ચીજ બનાવી શકાય. વેનીલા ઑરકિડનાં ફૂલો લીલા-પીળા રંગનાં હોય છે, જે મીણ જેવા હોય છે અને એ ઝૂમખાંમાં થાય છે. દરેક ફૂલ વર્ષમાં એકાદ વાર ફક્ત થોડા કલાકો માટે ખીલે છે. ટોટોનાક ઇન્ડિયનને ફૂલોના પરાગનું કામ કરતા જોવું આકર્ષક લાગે છે. તેઓ દરેક ઝૂમખાંમાથી ફક્ત થોડા જ ફૂલોને ફલિત કરે છે જેથી વેલને શક્તિ આપતો રસ જતો રહે નહિ. એનાથી, વેલ મૂરઝાઈ શકે અને રોગ લાગી શકે.
વેનીલાની તાજી શિંગોમાં કોઈ પણ પ્રકારનો સ્વાદ કે સુગંધ હોતી નથી. એની બરાબર સાચવણી કરવી જરૂરી છે જેથી એમાંથી વેનીલીન છૂટું પડે છે અને જેની સુગંધ અને સ્વાદ એકદમ અલગ હોય છે. આ પ્રક્રિયા અને હાથથી એનું ફલન કરવાના કારણે વેનીલાને એકદમ મોંઘા મસાલા બનાવે છે.
હવે તમને પ્રશ્ન થશે વેનીલા કુદરતી છે કે બનાવટી? બનાવટી વૅનીલીનને લાકડાંના માવામાંથી પણ બનાવામાં આવે છે. વસ્તુના લેબલ પર વેનીલાનું નામ વાંચીને તમને આશ્ચર્ય થઈ શકે. દાખલા તરીકે, અમેરિકામાં, “વેનીલા” એમ લેબલ લગાવવામાં આવેલું આઇસક્રીમ શુદ્ધ વેનીલા અથવા વેનીલાના દાણામાંથી બનેલું હોય છે. જ્યારે કે “વેનીલા ફ્લેવર” લગાવેલા લેબલના આઇસક્રીમમાં ૪૨ ટકા બનાવટી સ્વાદ હોય છે. વળી ‘બનાવટી ફ્લેવરમાં’ ફક્ત નકલી સ્વાદ હોય છે. પરંતુ, સ્વાદ પારખનાર વ્યક્તિ બતાવશે કે એમાં સાચા વેનીલાની ફ્લેવર નથી.
Khava thi MATLAB apne
ReplyDeleteThank you for Sharing This.....Click Here For GPSC Study Material
ReplyDelete