આપણને બાળપણથી જ ઇતિહાસ ભણાવવામાં અને સંભળાવમાં આવે છે. એ કહેવું ખોટું નથી કે સૌ કોઈને આ વિષય બોરિંગ લાગતો હતો કેમ કે ઇતિહાસની ઘટનાઓની તારીખ યાદ રાખવા ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ ધ્યાનથી જોઈએ તો ઇતિહાસ એ એક ઇન્ટરેસ્ટિંગ વિષય છે. કારણ કે આનાથી જ તો આપણે અતીતને સમજી શકીએ છીએ અને તેનાથી ઘણી જાતની ચીજો શીખી શકીએ છીએ.
પરંતુ શું તમે વિચાર્યું છે કે ઇતિહાસકારોએ આટલા સમય પહેલા ઘટેલ ઘટનાઓની કેવી રીતે ખબર પડી જાય છે? કેવી રીતે આજથી ૫૦૦૦ વર્ષ જૂની હડપ્પા સભ્યતાની રહેણીકરણી, પોશાક, ધાર્મિક જીવન, કૃષિ અને પશુપાલન, ઉદ્યોગ-ધંધા, વ્યાપાર અને પતન વિશે આટલાં સટીક દાવા કેવી રીતે કરે છે? જો ના, તો આ આર્ટિકલ તમારા માટે છે.
ઇતિહાસને જાણવા, સમજવા અને તેમનું અધ્યયન કરવા માટે ૨ પ્રકારના સ્ત્રોતોનો સહારો લેવામાં આવે છે. ૧. સાહિત્યિક અને ૨. પુરતાત્વિક સ્ત્રોત. સાહિત્યિક સ્ત્રોતોથી પ્રાચીનકાળથી સામાજિક જીવન, ધાર્મિક જીવન, રહેણીકરણી અને સાંસ્કૃતિક જીવનની જાણકારી પ્રાપ્ત થાય છે.
સાહિત્યિક સ્ત્રોત એ લિખિત પ્રમાણ હોય છે, જેમની રચના તે કાળમાં થઈ હોય છે; જેમનું અધ્યન કરવામાં આવી રહ્યું હોય. સાહિત્યિક સ્ત્રોતમાં કેટલીય જાતની ચીજોનો સમાવેશ થાય છે જેમકે મૌલિક દસ્તાવેજ, રાજકીય રેકોર્ડ, પાંડુલિપિ, કવિતા, નાટક, સંગીત વગેરે. ઇતિહાસકાર આની મદદથી તે કાળ કે સમયની જાણકારી મેળવે છે. ઉદાહરણ તરીકે મૌર્યકાળની જાણકારીનો સૌથી સારો સ્ત્રોત કૌટિલ્યનું અર્થશાસ્ત્ર માનવામાં આવે છે. તેવી જ રીતે દક્ષિણ ભારતના ઇતિહાસને જાણવાનો સર્વોત્તમ સ્ત્રોત સંગમ સાહિત્ય છે.
ઇતિહાસના અધ્યયન માટે પુરતાત્વિક સ્ત્રોતોનું પણ ખૂબ જ મહત્વ છે. તેમાં અભિલેખ, સિક્કા, મોહર, સ્તૂપો, ચટ્ટાનો, સ્મારકો અને ભવનો, મૂર્તિઓ, ચિત્રકળા અને અન્ય અવશેષોને રાખવામા આવે છે. હડપ્પા સભ્યતાની જાણકારી આપણને પુરતાત્વિક સ્ત્રોતોથી જ પ્રાપ્ત થઈ છે. મોહે-જો-દડોથી પ્રાપ્ત મોહરના આધાર પર ઇતિહાસકારોએ હડપ્પા સભ્યતાના ધાર્મિક જીવન પર પ્રકાશ નાખ્યો. આવી રીતે કેટલીય જાતના સ્મારકોથી જેવી રીતે તે સમયની જીવનશૈલીનું જ્ઞાન પ્રાપ્ત થાય છે તેવી રીતે તેમનાં નિર્માતા વિશે પણ સૂચનાઓ મળી જાય છે.
Thank you for Sharing This.....Computer and Information Technology
ReplyDelete