ઈસ્કોન સંસ્થા દ્વારા દુનિયાની સૌથી મોટી 800 કિલોગ્રામની ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. 800 કિલોની આ ભગવદ્ ગીતાના એક પાનાને પલટાવવા માટે ત્રણથી ચાર વ્યક્તિની જરૂર પડે છે; જેમનું લોકાર્પણ દિલ્હીમાં 15મી ફેબ્રુઆરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે.
GK in GUJARATI
Google plus
- ઈસ્કોન સંસ્થા દ્વારા તૈયાર કરવામાં આવેલી આ ગીતાને છપાવવામાં અઢી વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આ ગીતાને તૈયાર કરવા પાછળ દોઢ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે.
- ઈટાલીના મિલાન શહેરથી દરિયાઈ માર્ગે આ ભગવદ્ ગીતાને મુન્દ્રા પોર્ટ ખાતે લાવવામાં આવી હતી. 20મી જાન્યુઆરીએ આ ભગવદ્ ગીતા દિલ્હીના ઈસ્કોન મંદિરમાં લાવવામાં આવી હતી. આ ભગવદ્ ગીતાને ભારત લાવતા 30 દિવસ લાગ્યા હતા. 11 નવેમ્બરે આ પુસ્તકને ઈટાલીના મિલાન શહેરમાં પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.
- આ ગીતામાં 670 પૃષ્ઠ છે, જેની લંબાઈ 12 ફૂટ અને પહોળાઈ 9 ફૂટ છે. આ ભગવદ્ ગીતાને સિન્થેટિકના મજબૂત કાગળથી તૈયાર કરવામાં આવી છે. એવું માનવામાં આવે છે કે, આ ગીતા પર ઘણી બધી ધાતુનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં પ્લેટિનમ, સોનું અને ચાંદી મુખ્ય છે.
- ઈસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રીમદ્ એ.સી. ભક્તિવેદાંત સ્વામી શ્રીલ પ્રભુપાદજીએ કહ્યું કે, ભગવદ્ ગીતાના પ્રચારને 50 વર્ષ પૂરા કર્યા તે ઉપલક્ષમાં આ ભગવદ્ ગીતા તૈયાર કરવામાં આવી છે. આ પુસ્તક છપાવવા માટેનો ખર્ચ ઈસ્કોનના દરેક કેન્દ્રમાંથી એકત્રિત કરવામાં આવ્યો હતો.
GK in GUJARATI
Google plus
No comments:
Post a comment