પનીર ખાવામાં જેટલું સ્વાદિષ્ટ છે, તેટલું જ સ્વાસ્થ્ય માટે સારું છે. દૂધમાંથી બનતાં પનીરનો વિવિધ રીતે ઉપયોગ થઈ શકે છે. પનીરમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન અને ફોસ્ફરસ હોય છે; જે શરીરમાં કેલ્શિયમની ઊણપ દૂર કરતું હોવાથી દાંત અને હાડકાંને મજબૂત બનાવે છે. આ સિવાય પણ પનીર અનેક બીમારીઓમાં લાભદાયી છે.
• દાંત, હાડકાં અને હૃદયના સ્નાયુની મજબૂતી જાળવવામાં પનીર ઉપયોગી છે.
જ્ઞાનતંતુની કામગીરી સરળ રહે તે માટેના કેટલાક જરૂરી તત્ત્વો પણ પનીરમાંથી મળે છે.
• શરીરને યોગ્ય પ્રમાણમાં પોષણ ન મળે તો
શરીરમાં નબળાઈ આવે છે. જેના કારણે શરીરમાં દુખાવો વધી જતાં ધીમે ધીમે માણસ
સંધિવાનો શિકાર બને છે. સંધિવામાં રાહત મેળવવા માટે પનીરનું સેવન કરવું લાભકારક
છે.
• મસલ્સ બનાવવા માટે પ્રોટીનની જરૂર
વધારે હોય છે એટલે પનીર ખાવાથી લાભ થાય છે. પનીરમાં ભરપૂર માત્રામાં પ્રોટીન
રહેલું છે.
•
જે વ્યક્તિનું પાચનતંત્ર નબળું હોય તે
લોકોને વારંવાર પેટને લગતી પરેશાનીનો સામનો કરવો પડે છે. આવી વ્યક્તિઓએ પનીરનું
સેવન કરવું જોઈએ. પનીરમાં પૂરતા પ્રમાણમાં લેક્ટોસ હોવાથી પાચનતંત્ર સુધરે છે.